દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવાનું દેશને આહવાન કરેલ. જેમાં દરેક શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓને પણ આઝાદીનાં આ અમૃત મહોત્સવની ઉજવણીમાં ભાગીદાર બનવા માટે પ્રેરણા આપેલ.
વડાપ્રધાનશ્રીના આ આહવાનને ઝીલી લઈને એસ.યુ.જી. કોલેજ ઓફ એજ્યુકેશને ભાવિ શિક્ષકોને આઝાદીમાં ભાગીદાર એવા 75 વ્યક્તિઓએ આઝાદીમાં આપેલ ફાળા વિશે હસ્તલિખિત કે મુદ્રિત અંક સંપાદિત કરવાની પ્રેરણા આપી હતી. અંતે સંસ્થાના 47 તાલીમાર્થીઓએ હસ્તલિખિત અને મુદ્રિત અંકોમાં ૨૩૭ સ્વાતંત્ર્ય સેનાનીઓ વિષે માહિતી એકત્ર કરીને તેમને હ્રદયપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમાંના કેટલાક અંકો તાલીમાર્થીઓના નામ સાથે નીચે લીંક સાથે જોડાયેલ છે.